પ્રવૃત્તિ

જલારામ જયંતી ઉત્સવ

શ્રી આદિપુર લોહાણા મહાજન દ્વારા જલારામ જયંતિ ઉત્સવ સમિતીના આયોજન હેઠળ વિવિધ સમિતીઓ ની રચના કરી ઘણા વર્ષો થી આપાણી જ્ઞાતિના સંત શિરોમણી પૂજય જલારામ બાપાની જન્મજયંતિ ની ઉજવણી ખૂબ ધામધૂમ થી કરવામાં આવે છે.આ દિવસે જ્ઞાતિજનો બપોર બાદ પોતાના વ્યવસાયિક કાર્યો બંધ રાખી સમાજવાડી મધ્યે પૂજન અર્ચન તથા જલારામ બાપાની આરતી માં ભાગ લે છે.ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા(રવાડી) શહેર ના મુખ્ય માર્ગો પર વાજતે ગાજતે નગર ની પરિક્રમા કરી પરત વાડી મધ્યે પધારે છે,જયાં મહાપ્રસાદ નું આયોજન દાતાશ્રીઓ તથા જ્ઞાતિજનો દ્વારા કરવામાં આવે છે, જેનો બહોળી સંખ્યા મા જ્ઞાતિજનો લાભ લે છે, તેમજ જ્ઞાતિજનો ઘર દીઠ છક્ક્ડી ની નોંધ કરાવે છે.

ચૈત્રીબીજ ઉત્સવ

શ્રી આદિપુર લોહાણા મહાજન દ્વારા મહાજનની સ્થાપના સમયથી જ આપણા ઈષ્ટદેવ પૂજય દરિયાલાલ દેવની જન્મજયંતિ(ચૈત્રીબીજ) ની ઉજવણી ભાઈચારા અને ભક્તિભાવ થી કરવામાં આવે છે.આ દિવસે સમાજવાડી મધ્યે પૂજન અર્ચન તથા દરિયાલાલ દેવની આરતી કરવામાં આવે છે,જેમાં જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં ભાગ લે છે. ત્યારબાદ નગરમાં ધામધૂમ થી શોભાયાત્રા નું પરિક્રમણ કરી જ્ઞાતિજનો સમાજવાડી મધ્યે પરત ફરે છે જયાં જ્ઞાતિજનો દરિયાલાલ દેવ નો મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે.

રામનવમી ઉત્સવ

શ્રી આદિપુર લોહાણા યુવક મંડળ દ્વારા મહાજનશ્રી ના સાનિધ્ય માં દર વર્ષે આપણા રઘુકુલ ના આરાધ્ય દેવ પૂજય રામચંદ્રજી ભગવાન નો પ્રાગટય ઉત્સવ(રામનવમી) ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. જેમાં સવારે પૂજન અર્ચન તથા મહાઆરતી નુ આયોજન કરવા મા આવે છે,અને આ દિવસે બપોરે ફરાળ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે.તેમજ આ દિવસને અનુલક્ષીને સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવા માં આવે છે જેમાં જ્ઞાતિજનો હોંશભેર ભાગ લે છે.

સરસ્વતી સન્માન સમારોહ

શ્રી આદિપુર લોહાણા યુવક મંડળ દ્વારા મહાજનશ્રી ના સાનિધ્ય માં છેલ્લા અઢી દાયકા થી જ્ઞાતિના વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરવા માટે સરસ્વતી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવે છે.જેમાં કેજી થી કોલેજ કક્ષા સુધીના વિદ્યાર્થીઓ ને પોતે મેળવેલ માર્કસ ના મેરિટ ધોરણે યુવક મંડળ દાતાશ્રી ઓ ના સહયોગ થી આ વિદ્યાર્થીઓ ને ઇનામ આપી પ્રોત્સાહિત કરે છે,તેમજ મંડળની પ્રણાલી મુજબ કચ્છ તેમજ બહાર ના સમાજના હોદ્દેદારો,શૈક્ષણિક તજજ્ઞોને બોલાવી તેઓનું પણ સમાજ અને મંડળ દ્વારા સન્માન કરવામાં આવે છે,અને જ્ઞાતિ ના વિદ્યાર્થીઓ તેમની પાસે થી ઉચ્ચશિક્ષણ અને સામાજિક જ્ઞાન સભર માહિતી મેળવે છે,તથા વિશિષ્ટ કારર્કિદી મેળવનાર જ્ઞાતિના ભાઈ બહેનોનું આ મંચ ઉપર વિશિષ્ટ સન્માન કરવામાં આવે છે.તેમજ જ્ઞાતિ ની બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવે છે.

ગાયત્રી હવન

શ્રી આદિપુર લોહાણા મહિલા મંડળ ના આયોજન હેઠળ સમાજવાડી સંકુલ મધ્યે ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવે છે.જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ધાર્મિક ભાવના કેળવાય અને પર્યાવરણ શુદ્ધિ સાથે સમાજવાડી સંકુલની શુદ્ધતા જળવાઈ રહે તેમજ લોકોની ભાઈચારાની ભાવના અને ધાર્મિક વૃતિ કેળવાય તેવો ઉદ્દેશ રહેલો છે.